Satsang

સત્સંગ

0 Shares
0
0
0

આજે સવારે મમ્મી સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે મમ્મી એ કહ્યું કે આજે સંતસંગમાં જવાનું છે. તો મારા પૂછાય ગયું તમે એમાં શું કરશો. મમ્મી બોલી કે બઘી સ્ત્રીયો કોઈના ઘરે દરેક અગિયારસે ભેગા થાય અને ભગવાનનાં ભજનો ગાઈ, પ્રસાદ વહેરયાં. બઘાને કાંઈ ભેટ અપાય. મેં પૂછયું સાથે તમે ભજન કરો તો અવાજ તો થતો જ હશે. મમ્મી બોલી એમાં તો ઢોલ, મંજીરા બઘું જ વગાડે. મેં પૂછયું તમે ભજન સિવાય પછી અને પહેલા શું કરો, કાંઈ બીજી વાતો પણ કરો. મમ્મી કહ્યુ હા બઘી વાર્તા થાય જ, ઘર વિશે, વહુ વિશે, દરેક જાતની વાર્તા થાય જ.

મેં મમ્મી ને પૂછયું કે તો આને તમે સંતસંગ કહો છો. મમ્મી બોલી કે બઘા મળી એટલે સંગ અને બઘા ભગવાનનું નામ લે, ભગવાન એટલે સત માટે આને સંતસંગ કહેવાય. પણ મેં કહ્યું કે આને ભજન સંગ પણ કહેવાય ને મમ્મી વિચારોમાં પડી ગયા અને મને કે પણ સંતસંગ કહેવામાં શું વાધો છે. તો હું હસવા લાગ્યો. મેં કહ્યું કે મારી વ્યાખ્યો તો બહુ જૂનિ છે.

સંતસંગ એટલે સત્યનો સંગ અને સત્ય એટલે સાચું નહી, સત્ય એટલે સનાતન, અટલ, સત્ય એટલે શિવ. જે આપણી અંદર બેઠો છે. સત્ય એટલે સૂજર, ચાંદો. કુદરતનાં નિયમો. જે અટલ છે. સત્ય એટલે જે છે તે જ છે. એનું કોઈ પૃથક્કરલા કે વિચારો ગણળી છે,

સત એટલે કે જે સત્ય આપણી અંદર બેઠો છે. તેની બોધ અને એની સાથે રહેવું એટલે સંતસંગ, સંતસંગ એકલામાંજ થાય. એટલે તો ભગવાનનો સમયમાં લોકો વૃઘ્ઘા અવસ્થામાં ઘર છોડીને જંગલમાં જઈ એકાંતમાં ઘ્યાન કરતા. ટોળામાં કયારે સંતસંગ ના થાઈ હા ભજન ગવાઈ અને આજુબાજુની વાતો થાય, પણ સત્યનાં સંગે તો એકલામાં જ જવાય. અને એ પણ આંખ બંઘ કરીને પોતાની અંદર સત્યની ખોજ થાય.

હું એમ નથી કહેતો કે સાથે મળી ભજન ન કરવા. બહુ જ સારી ભાવના છે. સાથે મળીને ભગવાનનું નામ લેવાથી આપણી શ્રદ્ઘા વઘુ મજબૂત થાય છે. આપલો બઘુ ભૂલીને આંનદમાં થોડા સમય વિતાવાય છે અને ભજનમાં ઘણા બઘા ફાયદા છે. શારિરીક, માનસિક અને આઘ્યામિત દષ્ટ્રીથી. ભજન ગાવવાથી અને સાથે નાચવાથી, તાલી વગાડવવાથી શરીરની કસરત થાય અને તે સમય માનસિક સ્થિત બહુ આનંદ હોવાથી મન અને શરીર બંને વઘારે મજબૂત બનાવે છે. ભગવાનનું નામ આપણા અંદર રહેતી શક્તિનું ધ્યાન કરાવે છે.

પણ સંતસંગ આ નથી. સંતસંગ તો એકલામાં થાય, કેમકે સંતસંગ કરવા માટે ધ્યાન કરવું પડે. પછી ભલેને ૧૦૦ જણ એક રૂમમાં કેમ ન હોઈ. પણ જેવું એ પોતાની આંખ બંધ કરશે. એ ત્યાં એકલો થઈ જશે. મીરાબાઈ અને તુકારામ જયારે પણ ભજન ગાતા ત્યારે એ આંખ બંધ રાખીને પોતાન કૃષ્ણ કે પાંડુરંગ ને યાદ કરતાં ગીત ગાતા. એના માટે સમય, કાળ, જગ્યા, કે સ્થિતિ સાથે કાંઈ લેવા દેવું ન હતું. એ લોકો ઈશ્વરને સત્ય રૂપે પોતાનાં પામી ચૂકયાં હતાં જેમકે ગોપીઓ એ બઘી કૃષ્ણમય હતી જયારે પણ નજર નાંખતી ત્યાં કૃષ્ણ દેખાતા. એ બઘી સત્ય કે કૃષ્ણ કે ભગવાનને અતંર આત્મામાં પામી લીઘા હોય.

ઝેન ફકીરનાં જીવનની વ્યાખ્યા છે કે એ જંગલમાં ધ્યાન કરી રહ્યા હતાં. તો ત્યારે ૩થી ૪ માણસો પસાર થઈ રહ્યા હતાં. એ લોકો ફકિરને જોયા તો વિચારયું કે ચાલો સંતસંગ કરીશું. તો જઈને એ ઝાડની પાસે બેસી ગયા અને ફકીર કહ્યુ કે ચાલો આપણે સંતસંગ કરીએ. તો ફકીર હસવવા લાગ્યો અને કહ્યું કે હું અત્યાર સુઘી સંતસંગમાં હતો પોતાની સાથે જ હતો. હવે તમે આવીને એમાં ભંગ પડયો છે.

સારાંશ: સંતસંગ એટલે સત્યની ખોજ પોતાની અંદર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *