Love can be only one way

પ્રેમ

0 Shares
0
0
0
0
0
0
0

સવાલ: આ પ્રેમમાં દુઃખ કેમ આવતું હશે?
પ્રેમનું બીજું નામ આંનદ છે. પણ જો તું કોઈની સહાનુભૂતિને અગર તમે પ્રેમ સમજી લો અને પછી એનાં પર પોતાનો હક્ક જમાવવા લાગે છે. પછી એ એમ માનવવા લાગે છે કે એ જે કહે એ જ એમને કરવું જોઈએ અને પછી એમાં બંઘન આવવા લાગે છે. પ્રેમ એ લાગણી છે. એને કદી પણ બાંઘવાની કોશિશ ના કરવી જોઈએ. કેમકે લાગણી એ એક નદી છે. એને બાંઘવાની કોશિશ ન કરવી જોઈએ કેમકે નદી તો વહેતી જ સારી અગર એને બાંધવાની કોશિશ કરવામાં આવે છે. તો એ બંઘાઈ જાય તો એ કાં તો સુકાઈ જાય છે, કાં તો એમાં કચરો એટલે કે વાસના થવા લાગે છે. હા અને જો એ અગર શક્તિશાળી હશે તો જેમ નદીને બાઘતાં એમાં પૂર આવે છે એમ લાગણીમાં પણ પૂર આવે છે. અને માણસ પોતાની સમજ, વિવેક બઘું જ ભૂલી જાય છે અને જયારે માણસની બુઘ્ઘિ અને હૃદય બંઘ થઈ જાય છે અને પછી એ કાંઈ પણ કરી શકે છે. કેમકે જે માણસ પાસે બુઘ્ઘિહિત શક્તિ હોય છે. એ માણસ કાંય પણ કરી શકે છે. પ્રેમતો કૈનયાનો આત્મા છે. કૈનયો જીવનમાં આપણી પાસેથી પ્રેમજ માગે છે. પણ આપણે પ્રેમને સમજતા નથી. કૈનયો પોતે જ પ્રેમને સમજાવી ગયો છે, કે પ્રેમમાં તો કુરબાની આપવી પડે ત્યાં હક્ક ન દશાવવાઈ. ભાગવતમાં લખ્યું છે કે ગોપીઓ ભગવાનને ન હોતી બોલાવતી કેમકે એ ભગવાનને કષ્ટ ન આપવા માંગતી. માણસ જયારે કોઈને પ્રેમ કરે છે તો એને હમેશાં કાંઈ આપવાની વૃતિ રાખવી જોઈએ. હા એ વાત પણ જરૂરી છે. કે માણસ પ્રેમમાં સામેથી પણ પ્રેમને ઈચ્છતો હોય છે. પણ જયાં સુઘી એ સીમા સુઘી હોય છે. એ સારું છે. પણ પોતાની સીમા ઓંળગતાં જ એમાં દુઃખ આપવા લાગે છે અને જીવનમાં આપણે પ્રેમમા વઘુ મેળવવા જ માંગતા હોઈ છે. પણ જીવનનો નિયમ છે તમે જેટલું આપો એટલું જ અને એવું જ તમને મળે છે. એટલે કે પ્રેમમાં કયારે પણ લેવાનો વિચાર કરશું તો પછી દુઃખ મળશે કેમકે આપવાની વૃતિ અને લેવાની વૃતિમાં માણસની દાનત ખબર પડે છે જે સાચો પ્રમે કરે છે એ સામેવાળાને કહેતો નથી કે તમે પ્રેમ કરું છું. અગર તું જીવનમાં પ્રેમ મેળવવા માંગે છે તો એનો એક ઉપાય છે કે તું પણ લોકોને નિસ્વાર્થ પ્રેમ કર.

હા પણ એ પ્રેમ નિસ્વાર્થ હોવા જોઈ કેમકે સ્વાર્થી માણસ કયારે પણ પ્રેમ કરી જ નથી શકતો. પ્રેમ પોતે જ એક સુંદર વસ્તુ છે. બીજી વાત એ પણ છે કે જીવનનાં બીજા પરિબળો પણ પ્રેમ પર અસર આવે છે. લાગણીમાં પણ કયારેક આપણને અતિશયોક્તિ આવી જતી હોય છે. આપણે હમેશાં એ માણસને પોતાની સામે જોવા ઈચ્છે છે અને અગર જો એ બીજાની સાથે પ્રેમ કરતો હોય તો એ આપણે સહન નથી કરી શકતા. પણ આ પ્રેમ નથી. પ્રેમ કરતો વ્યક્તિ કયારે પણ પ્રેમથી ઈર્ષા થવી ન જોઈએ અને એને હમેશાં બીજાનાં પ્રેમને પણ સમજવું જોઈએ. કયારેક કયારેક જીવનનાં બીજા પરિબળો પણ પ્રેમની લાગણીમાં ઉતારચઢાવ આવતા જતાં રહે છે.

પણ જીવન આખું પ્રેમ પર જીવી શકાય ?
જીવન અને પ્રેમ એક જ વસ્તુ થઈ શકે છે જયારે જેમાં કાંઈ લેવાની વૃતિ નથી હોતી. કે જેમાં કાંઈ સ્વાર્થ નથી હોતો. હા અને એ પ્રેમ એટલે કે પ્રભુ પ્રેમની વાત છે. જેને તું પ્રેમ કહે છે એને હું પ્રેમ નથી માંગતો. જીવનમાં કોઈ વસ્તુ જે હું તો જે પ્રેમ વિશે કૈનયો કહી ગયો છે એનાં વિશે કહેવા માંગુ છું કે તું જ્યારે પણ પ્રેમ કરે તો એનાં અંતનો વિચાર ન કરવો. અને જીવનમાં બીજા હજારો પરિબળો હોય છે. કેમકે પ્રેમ એ એક લાગણી છે. એમ જીવનમાં બીજી હજારો લાગણીઓ છે. આ આખો સંસાર અલગ અલગ લાગણીઓથી ભરાયેલો છે. કોઈ મિત્ર, કોઈ દુશ્મન, કોઈ સ્વજન, કોઈ સજ્જન કે કોઈ દુશ્મન. આમ જીવનમાં હજારો વસ્તુ પર આઘાર રાખે છે. બેટા અગર તું તારું જીવનના બઘા કર્તવ્ય નિભાવીને જીવવા માંગતો હોય હજારો પરિબળો તારા જીવનમાં ભરતીને ઓટ લાવી શકે છે. કેમકે જીવનમાં બનતા દરેક પ્રસંગો માણસનાં વિચારોમાં બદલાવ લાવે છે. એટલે આખું જીવન પ્રેમથી જીવી શકાય છે પણ પ્રેમ પર નહી કેમકે તારા જીવનનાં કર્તવ્ય સંબઘો અને સંજોગોને આઘારે તારે તારું જીવન જીવવાનું હોય છે.